25/09/2023
તા. ૨૪/૦૮/૨૦૨૩, રવિવાર,
જૂનાગઢ શહેર ના આંગણે કલા પ્રેરણા સંસ્થા તથા વડલેશ્વર મહાદેવ ટ્રસ્ટ, વણઝારી ચોક, જુનાગઢ ખાતે ગણપતિ મહોત્સવ નું આયોજન થયું તેમાં એક ચિત્ર હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના નાના બાળકો તેમજ મોટા કલાકારોએ મળીને 180 જેટલા હરીફો એ ભાગ લીધો હતો. આ હરીફાઈ માં કલા પ્રેરણાં નાં કમિટી નાં સભ્યો તેમજ વડલેશ્વર મહાદેવ મંદિર ના સભ્યો એ પણ ખુબ સાથ અને સહકાર આપ્યો અને કાર્યક્રમ્ ને સફલ બનાવ્યો. ઇરફાન સિદ્દીકી, રજનીકાંત અગ્રાવત, અજય રાવલ, નિખિલ દેવમુરારી, દિગ્વિજયસિહ વાઘેલા, રિયા મકવાણા, ગૌરાંગ દવે, જયેન્દ્રભાઈ પરમાર, ધર્મેશભાઈ પરમાર, ચંદ્રેશભાઈ, મધુસુધન ભુવા, રીમ્પલ વેકરિયા, મોહિતભાઈ વાછાણી વિગેરે એ હાજર રહી ને એક ઉમદા કાર્ય ને આગળ દીપાવ્યું હતું અને રવિવારની સાંજને આનંદમય બનાવી હતી. ગણેશજી નાં સાનિધ્યમાં ઇનામ વિતરણ અને આરતી પ્રસાદ નો લ્હાવો મળ્યો અને બાળકો માં ચિત્રકામ પ્રત્યેની ભાવના મજબૂત બનાવી.