28/04/2024
આશુતોષ શિક્ષણ એવમ સંસ્કાર તીર્થ,મેડિકલ કોમ્પલેક્ષ, નારણપુરા-અમદાવાદ ખાતે એ.પી.જે અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયંટિસ્ટ ના હર ઘર બાલ કલામ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ માં કલામ સાયંસ સેન્ટરની શરુઆત કરવામાં આવી.
તા.૨૮-૪-૨૦૨૪ના રોજ મેડિકલ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ કાર્યક્રમ મા ISRO ના પૂર્વ સાયંટિસ્ટસ દિલિપભાઇ ભટ્ટ,ભરતભાઇ ચનિયારા,મેડિકલ કોમ્પલેક્ષ ના પ્રમુખ તેમજ ગાયનેકોલોજીસ્ટ ડો જયેશભાઇ પટેલ,આશુતોષ શિક્ષણ એવમ સંસ્કાર તિર્થ ના ડાયરેક્ટર ચેતનભાઇ જોષી,ડો આનલભાઇ ભટ્ટ,પજ્ઞાબેન ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.
ડો ચંદ્રમૌલી જોષી ના માર્ગદર્શન માં આ કલબ અંતર્ગત ભારતભર મા 52 કલબ કાર્યરત છે.અમદાવાદમાં પહેલી તેમજ 53 ,મી કલબ શરુ થઇ છે.
આ કાર્યક્રમ માં ડો ચંદ્રમૌલી જોષી એ એ.પી.જે કલબ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયંટિસ્ટ ના પ્રોજેક્ટ કલામ સાયંસ સેન્ટર ની પ્રવૃત્તિઓ તેમજ તેના હેતુઓ વિશે વાત કરી હતી.
આ કાર્યક્રમ માં ઓલ ઇંડિયા રામાનુજન મેથ્સ કલબ ગુજરાત ના પ્રમુખ કલ્પેશભાઇ અખાણી,મંત્રી દર્શનભાઇ મહેતા,સહમંત્રી ડો કનુભાઇ પટેલ,કારોબારી સભ્ય નરેન્દ્રભાઇ પટેલ,કલામ સાયંસ સેન્ટર કમિટિ મેમ્બર એમ.એચ.ગેણાસાહેબ,ઉમેશભાઇ જોષી, વિરલભાઇ જોષી,હાર્દિકભાઇ શાહ,દર્શ જોષી, કલામ સાયંસ સેન્ટર ના સાયંસ કમ્યુનિકેટર મિનળ પટેલ,નિશિ પટેલ તેમજ મોટી સંખ્યામાં વાલી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
ઉપસ્થિત મહેમાનો એ પ્રેરક વક્તવ્ય રજુ કર્યા હતા.
કલામ સાયંસ સેન્ટર મા ગણિત, વિજ્ઞાન ના 900 જેટલા મોડલ રજુ કર્યા હતા.
દર રવિવારે 2 કલાક આ પ્રવૃત્તિઓ થનાર છે.ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમા જોડાઇ શકે છે.